સંબંધિત સમાચાર
- અયોધ્યા રામ મંદિર- 'રામ મંદિરની સાડી' માતા સીતા માટે આ સાડી બનાવી છે.
- Ram Halwa- 12 હજાર લીટરની કડાહીમાં બની રહ્યો છે 7000 કિલો શીરો
- જે રથ પર અડવાણીએ દેશમા રામ મંદિરની જ્યોત પ્રગટાવી હતી, જાણો તેના નિર્માણની કહાની
- રામ મંદિરના ગર્ભગૃહમાં લાગ્યા સોનાના દરવાજા, આવા વધુ 13 દરવાજા લગાવવાની તૈયારી
- દ્વારકાના યુવાનોની અયોધ્યા સુધી સાઈકલ યાત્રા
22 જાન્યુઆરીએ રાજ્યભરની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે
22 જાન્યુઆરીએ જાહેર રજાનું એલાન! - રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહને ધ્યાનમાં રાખીને, 22 જાન્યુઆરીએ રાજ્યભરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું છે કે આ દિવસે રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ રાજ્યભરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું છે કે આ દિવસે રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન સરકારી સંસ્થાઓ અને ઈમારતોને ફૂલોથી શણગારવામાં આવશે. હકીકતમાં, ઘણી સંસ્થાઓ, હિન્દુ સંગઠનો અને સનાતની સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો સતત સરકાર પાસે 22 જાન્યુઆરીને જાહેર રજા બનાવવાની માંગ કરી રહ્યા હતા અને તેને ધ્યાનમાં રાખીને યોગી સરકારે સમીક્ષા બેઠક બાદ આ પગલું ભર્યું.
