IPL સ્થળાંતરીત થવાથી ફ્લિંટોફ નિરાશ
ઈંગ્લેંડના ઓલરાઉંડર એંડ્ર્યુ ફ્લિંટોફ ઈંડિયન પ્રીમિયર લીગનું આયોજન ભારતની બહાર કરાવવાના બીસીસીઆઈના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે. કારણ કે આ દેશમાં(ભારત) ટ્વેંટી20 મેચનો લ્હાવો ઉઠાવવા નહી મળે. હાલમાં આઈપીએલે કરીલી આ જાહેરાતના પગલે યજમાની કરવા માટે દક્ષિણ આફ્રીકા અને ઈંગ્લેંડ હરોળમાં છે. ફ્લિંટોફે કહ્યુ કે આ નિરાશાજનક સમાચાર છે. તેમણે કહ્યુ કે આઈપીએલના સંદર્ભમાં મારુ સૌથી મોટુ આકર્ષણ ભારતમાં રમવાનું હતું. મુખ્યત્વે મને ભારતમાં એકદિવસીય ક્રિકેટ મેચ રમવી ખુબ ગમે છે.