શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 7 મે 2019 (13:40 IST)

Akshaya Tritiya 2019 - ઝવેરીઓમાં વધેલીસોનાની માંગને જોતા સોનાનો ભાવમાં આવી તેજી

અક્ષય તૃતીયા 2019 ના અવસર પર ઝવેરીઓની તાજે વેચવાલીથી સોનાનો ભાવ 75 રૂપિયા વધીને 31700 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.  જો કે ઔઘોગિક એકમો અને સિક્કા વિનિર્માતોના ઓછા ઉઠાવને કારણે ચાંદીનો ભાવ ગઈકાલે તૂટ્યો હતો પણ આજે 34 રૂપિયા વધીને 37410 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. 
 
વેપારીઓના મુજબ વિશ્વ સ્તર પર સકારાત્મક રૂખ અને સ્થાનિક ઝવેરીઓની માંગથી પણ મૂલ્યવાન ઘાતુના ભાવમાં તેજી આવી.  આ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ચીની વસ્તુઓ પર ઉચ્ચ દરથી ચાર્જ લગાવવાની જાહેરાત પછી બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ વધવાની આશંકાથી સુરક્ષિત રોકાણના રૂપમાં મૂલ્યવાન ધાતુની માંગ વધી છે. વિશ્વ સ્તર પર ન્યૂયોર્કમાં હાજિર બજારમાં સોનુ મજબૂત થઈને 1,282.60 ડોલર પ્રતિ ઔસ રહ્યુ. જ્યારે કે ચાંદી કમંજોર થઈને 14.91 ડોલર પ્રતિ ઔસ રહી.