શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (18:20 IST)

BREAKING : ઈરાનમાં કાસિમ સુલેમાનીના જનાજામાં નાસભાગ, 35નાં મૃત્યુ અને 48 ઘાયલ

ઈરાનના સૈન્યના કમાન્ડર કાસિમ સલેમાનીના જનાજામાં નાસભાગ થઈ હતી.

આ ઘટનામાં અત્યાર સુધી 35 લોકોનાં મૃત્યુ થયાંની માહિતી મળી રહી છે અને 48 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે. સુલેમાનીના જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ વખતે આ દુર્ઘટના ઘટી હતી.

સુલેમાની કેરમન શહેરીથી હતા. તેમના મૃતદેહને ઇરાકથી પહેલાં અહવાઝ, અને પછી તેહરાન અને હવે કેરમન લાવવામાં આવ્યો હતો. અહીં જ તેમની દફનવિધિ થનાર છે.

શુક્રવારે બગદાદમાં હવાઈ હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની માર્યા ગયા હતા.