શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 14 મે 2012 (14:36 IST)

નેપાળમાં વિમાન દુર્ઘટના, 13 ભારતીયો સહિત 15ના મોત

P.R
ઉત્તરી નેપાળમાં એગ્નિ-એયરનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા છે. આ વિમાનમાં કુલ 21 લોકો સવાર હતા જેમાંથી 15 લોકોના મોત થયા છે, જેમાં 13 ભારતીય મુસાફરોનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વિમાન જોમ્સોમ એરપોર્ટ પર લેન્ડ કરવા જઇ રહ્યું હતું ત્યારે ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં સવાર 21 મુસાફરોમાંથી 16 મુસાફરો ભારતીય હતા.

દુર્ઘટનામાં 6 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હોવાની ખબર મળી છે. પોલીસ અને સૈન્યએ હાલ ઘટનાસ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.