શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કાહિરા , ગુરુવાર, 17 જુલાઈ 2008 (10:58 IST)

મિસ્રમાં રેલ બસ ર્દુઘટના, 37ના મોત

કાહિરા. મિસ્રમાં બુધવારે એક રેલગાડી સાથે ત્રણ વાહન ટકરાતાં સર્જાયેલા અકસ્માતમાં 37ના મોત થયા છે. જ્યારે અન્ય 38ને ઇજાઓ થઇ છે.

સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તરી વિસ્તારમાં એક રેલવે ક્રોસિંગ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં ઉભી રહેલી એક બસ તથા કારને પાછળથી આવેલી ટ્રકે ટક્કર મારતાં આ વાહનો રેલ બસ સાથે ટકરાયા હતા.

આ ટક્કર એટલી બધી જોરદાર હતી કે રેલ બસના ત્રણ ડબ્બા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા હતા. બે ડબ્બા એક બીજા ઉપર ચડી ગયા હતા. આ અકસ્માતને પગલે 37 લોકોના મોત થયા હતા જ્યારે 38ને ઇજાઓ થઇ છે.