શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મોગાદિશૂ , બુધવાર, 1 સપ્ટેમ્બર 2010 (11:47 IST)

સોમાલિયામાં વિસ્ફોટમાં, 15ના મોત

સોમાલિયામાં બે બસોને નિશાન બનાવીને કરવામાં આવેલ વિસ્ફોટમાં 15 લોકો મૃત્યુ પામ્યા છે. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં મંગળવારે બે યાત્રી બસને નિશાન બનાવેને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનુ મોત થઈ ગયુ. જ્યારે કે 30 અન્ય ઘાયલ થઈ ગયા છે.

સોમાલિયાઈ સેનાના એક કમાંડર નૂર હસને જણાવ્યુ કે બંને બસોમાં સવાર કુલ 15 લોકોનુ મોત થઈ ગયુ છે. જેમા 30 લોકો ઘાયલ થઈ ગયા, જેમને સારવાર માટે મોગાદિશુના વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ વિસ્ફોટોની અત્યાર સુધી કોઈ પણ સંગઠને જવાબદારી લીધી નથી. જો કે સરકારી સુરક્ષા બળોએ આને માટે ચરમપંથીઓને જવાબદાર ઠેરવ્યા છે.