શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: પટણા , શનિવાર, 28 માર્ચ 2009 (18:25 IST)

અડવાણી PM બનશે તો હું સન્યાશ લઈશ-લાલુ

રેલમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે જો અડવાણી વડાપ્રધાન બનશે, તો હું ચુંટણી લડીશ નહીં.

એલજેપી, આરજેડી અને સપા વચ્ચે થયેલાં ચુંટણી ગઠબંધન બાદ ઉત્સાહિત લાલુ યાદવે પટણામાં યોજાયેલી એક સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે એનડીએ પાસે બહુમત આવે તેવી કોઈ શક્યતા નથી. તેમજ એકપછી એક તેના સાથીદારો પણ દૂર થઈ રહ્યાં છે.

લાલુએ કહ્યું હતું કે ભાજપને બહુમત મળે તેવી કોઈ શક્યતા નથી. તેમછતાં જો અડવાણી વડાપ્રધાન બની જશે, તો હું રાજકારણમાં ક્યારેય ચુંટણી નહીં લડું.