શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2013 (15:02 IST)

અવૈઘ સંબંધોને કારણે જ નારાયણ સાંઈની પત્નીએ ઘર છોડ્યુ હતુ

P.R
સૂરત પોલીસ કમિશ્નર રાકેશ આસ્થાનાએ જણાવ્યુ કે નારાયણની પત્ની સાથે પૂછપરછ ચાલી રહી છે. તેમણે જાનકીના હવાલાથી કહ્યુ છે કે નારાયણનો જમુના સાથે સંબંધ છે અને બંનેનો એક પુત્ર છે. અસ્થાનાએ જણાવ્યુ કે નારાયણની હરકતોને કારણે જ તેમની પત્ની જુદી રહે છે.

સૂરત પોલીસ કમિશ્નર અસ્થાનાએ કહ્યુ છે કે જાનકી સાથે પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. તેણે જણાવ્યુ કે નારાયણ સાંઈના લોકેશનની પણ જાણ છે. રેપ પછી ફરાર નારાયણ સાંઈ પર પોલીસે 5 લાખનુ ઈનામ પણ રાખ્યુ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બે બહેનોએ આસારામ અને નારાયણ સાંઈ પર રેપનો આરોપ લગાવ્યો છે. આસારામ હાલ કિશોરી સાથેના યૌન શોષણ કેસમાં જોઘપુર સેંટ્રલ જેલમાં બંધ છે. બીજી બાજુ નારાયણ સાંઈ ઘણા દિવસોથી ફરાર છે. પોલીસને થાપ આપવા તે સતત પોતાનુ લોકેશન અને મોબાઈલ નંબર બદલી રહ્યો છે.

આ પહેલા ઉદયપુરથી ધરપકડ નારાયણ સાંઈની સેવિકાએ પણ દાવો કર્યો હતો કે આશ્રમની બીજી સેવિકા જમુનાનો પુત્રનો પિતા નારાયણ સાંઈ જ છે. બીજી બાજુ સૂરતના પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યુ હતુ કે ગંગાના દાવાની તપાસ કરવામાં આવશે.