શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ઉજ્જૈન. , શનિવાર, 10 જાન્યુઆરી 2009 (16:34 IST)

ઉજ્જૈનમાં ફરી પત્થરમારો

મધ્યપ્રદેશમાં આવેલ મંદિરોની નગરી ઉજ્જૈનના મહિદપુરમાં મોહરમના જુલુસને લઈને બે ટોળાઓ વચ્ચે થયેલી અથડામણને કારણે ગઈકાલે નગર બંધની જાહેરાત કરવામાં આવી હતી. નગર બંધ દરમિયાન રાત્રે સ્થિતિ તણાવગ્રસ્ત થઈ ગઈ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે ત્રણ જાન્યુઆરીના રોજ મોહરમના જુલસને પગલે બે પક્ષો વચ્ચે ટકરાવ થયો હતો જેના પગલે સ્થિતિ પર કાબૂ મેળવવા નગરમાં બંધ લાદી દેવાયો હતો.જોકે આજે પરિસ્થિતિ સંપૂર્ણ તાબા હેઠળ છે.