શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ઉપર ન જાવ હું તેમની સાથે લડી લઈશ-સંદીપ

હોટલ તાજની અંદર આતંકવાદીઓથી જીવ સટોસટની લડાઈ લડી રહેલાં મેજર સંદીપ ઉન્નીકૃષ્ણને પોતાના કમાન્ડોથી કદાચ અંતિમ શબ્દ કહ્યાં હતાં કે ઉપર ન જાવ હું તેમની સાથે લડી લઈશ

એનએસજીના મહાનિર્દેશક જે કે દત્તે કહ્યું કે, મેજર ઉન્નીકૃષ્ણનને જ્યારે ગોળી મારવામાં આવી એ સમયે તે એક ઘાયલ કમાંડોને બચાવવા માટે ઝુંટાયા હતાં. દત્તે હોટલ તાજમાં અભિયાન પૂર્ણ થયાં બાદ આ વાત કહી.

રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અભિયાન દરમિયાન જ્યારે એક કમાન્ડો ઘાયલ થયા હતા. તો ઉન્નીકૃષ્ણને તેને બચાવાની વ્યવસ્થા કરી અને સ્વયં આતંકવાદીનો પીછો કરવા લાગ્યાં.

અધિકારીએ જણાવ્યું કે આતંકવાદી હોટલના એક અન્ય માળ પર ભાગી ગયાં અને તેનો પીછો કરતી વેળાએ ઉન્નીકૃષ્ણન ગંભીર રીતે ઘાયલ થયાં બાદમાં તેમનું મૃત્યુ નિપજ્યું.