Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2013 (16:14 IST)
કોણ છે સરબજીત સિંહ
P.R
સરહદને પાર લાહોર હોસ્પિટલમાં સરબજીત સિંહ જીંદગીની જંગ લડી રહ્યો છે. તો સીમાની અંદર આ બજુ આંસુઓની ધારા થમવાનુ નામ નથી લઈ રહી. પરિવારનો ગુસ્સો પણ છે તો બેબસી પણ. સરબજીતની સલામતી માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. સરબજીતની પુત્રીએ સરકાર તરફથી મદદ ન મળતા આત્મદાહની ધમકી પણા આપી છે.
- આવો જાણો સરબજીત કોણ છે - પંજાબમા તરનતારન જિલ્લાના ભિખીબિંડ ગામનો રહેનારો છે સરબજીત - અજાણતા સીમા પાર પાકિસ્તાન જઈ પહોંચ્યો હતો - પાકિસ્તાનમાં બોમ્બ ધમાકાનો આરોપી છે સરબજીત - સરબજીત 1990થી લાહોરની કોટ લખપત જેલમાં બંધ છે - 30 ઓગસ્ટ, 1990ને પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી - લાહોર અને ફૈસલાબાદમાં થયા હતા બોમ્બ ધમાકા - 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા - 1991માં બોમ્બ ધમાકાના આરોપમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી - પાકિસ્તાનના રાષ્ટ્રપતિને દયા અરજી પણ કરી હતી. - 5 વાર દયા અરજી આપવામાં આવી, નિર્ણય આજ સુધી નહી.