શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 3 માર્ચ 2012 (12:12 IST)

ક્યા સુધી જયાપ્રદાનું ચીરહરણ થતુ રહેશે ?

P.R
હાલ રાષ્ટ્રીય લોકમંચના અધ્યક્ષ અને એક સમયે સમાજવાદીના પાર્ટીના મહાસચિવ તરીકે મુલાયમસિંહ યાદવના ખુબજ અંગત ગણાતા હતા તેવા અમરસિંહે રામપુરની એક હોટલમાં જયાપ્રદાની રૂમની તલાશી લેવા સામે નારાજગી વ્યકત કરી છે.

અમરસિંહે કહ્યુ કે સીતાનું હરણ અને દ્રૌપદીનું ચીર હરણતો માત્ર એક જ વાર થયું હતું પરંતુ જયાપ્રદાનું ચીરહરણ કળીયુગના રાવણ આઝમખાન વારંવાર કરી રહ્યા છે.

અમરસિંહે કહ્યુ કે પોલીસ કર્મીઓએ જયાપ્રદાના રૂમમાં એક-એક વસ્તુઓની તપાસ કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો.. તેમણે કહ્યુ કે આ તમામ ચૂંટણી પંચના નિર્દેશથી નહીં પરંતુ આઝમ ખાનના ઇશારે અને સ્થાનિક કોંગ્રેસ ઉમેદવારના દબાણથી થયું હતું.

અમરસિંહે કહ્યુ કે જયારે તેમણે ચૂંટણી કમિશનર એસ.વાય.કૂરેશી સાથે વાત કરી ત્યારે કૂરેશીએ તેમને જણાવ્યું હતું કે તપાસની સૂચના રામપુરના ડીએમને પણ આપવામાં આવી ન હતી, જયારે પ્રોટોકોલ અનુસાર ડીએમને માહિતી આપવી જરૂરી છે.