શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ચેન્નઈ , ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2009 (08:50 IST)

જય લલિતાને ધમકીભર્યો પત્ર

અન્નામુદ્રક મહાસચિવ જયલલિતાને બુધવારે એક પત્ર મળ્યો હતો જેમાં તેમના આવાસ અને પાર્ટી કાર્યાલય પર બોમ્બ વડે હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે.

તુટેલી તમિલ ભાષાના શબ્દોમાં કહ્યું છે કે હું બોમ્બ વડે તારા મકાનને ખાખ કરી નાંખીશ. વિસ્ફોટક ભરેલ દ્વીચક્રી વાહન તારા કાર્યાલયને નિશાન બનાવશે. થોડાક જ દિવસોમાં તુ અને તારૂ રહેઠાણ ખત્મ થઈ જશે.

પત્ર મોકલનારે પોતાને પુરાત્વી પુલી ઈયાક્કમ (રિવોલ્યુશનરી ટાઈગર મુવમેંટ)નો સી મોહન જણાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે જયલલિતા તમિલ સમુદાયની વિરુદ્ધ કામ કરી રહી છે. પત્રમાં એક ટેલિફોન નંબર પણ છે અને તપાસ દ્વારા માલુમ પડ્યું કે તે સી મોહનના નામે રજીસ્ટર છે. પોલીસે જણાવ્યું કે તપાસ ચાલુ છે.