શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 30 જુલાઈ 2010 (11:33 IST)

થરુર અને સુનંદાના સપ્ટેમરમાં લગ્ન !

N.D
પૂર્વ વિદેશ રાજ્યમંત્રી શશિ થરુર અને સુનંદા પુષ્કર હવે વિવાહ બંધનમાં બંધનો જઈ રહ્યો છે.

અટકળોને વિરામ આપતા શશિ થરુર અને તેની મહિલા મિત્ર સુનંદા પુષ્કરે આગામી 29 સપ્ટેમ્બરના રોજ પરિણય સૂત્રના બંધાવાની તૈયારી શરૂ ક્રી દીધી છે.

દરેક વખતે પોતાના નિવેદનથી સમાચારમાં ચમકતા રહેનાર થરુર આઈપીએલની કોચ્ચિ ટીમને લઈને ઉઠેલ વિવાદથી સુનંદા પુષ્કરની વધુ નિકટ આવી ગયા.

સૂત્રોએ જણાવ્યુ કે તિરુવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશિ થરુરે તાજેતરમાં જ દિલ્લીમાં આયોજીત એક હાઈ-પ્રોફાઈલ ડિનર દરમિયાન પોતાના નજીકના મિત્રોને લગ્નની તારીખની માહિતી આપી. લગ્ન દુબઈમાં થવાની શક્યતા છે.

શશિ થરુર જો કે આ વિશે કશુ સ્પષ્ટ કહેવા તૈયાર નથી. સુનંદા પુષ્કર સાથેના થરુરના સંબંધોનો ખુલાસો ત્યારે થયો જ્યારે ટ્વીટરના માધ્યમથી લલિત મોદીએ કોચ્ચિની આઈપીલ ટીમમાં પુષ્કરને સ્વેટ ઈકવિટી આપવાની વાત લખી.

ત્યારબાદ શશિ થરુરે પ્રધાનમંત્રી મનમોહન સિંહથી લઈને સંસદમાં પોતાનો બચાવ કર્યો અને આ વાતને નકારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેના કારણે તેમણે પોતાનુ મંત્રીપદ ગુમાવવુ પડ્યુ. ત્યારથી થરુર અને પુષ્કરના લગ્નને લઈને અટકળોનુ બજાર ગરમ છે.