શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2013 (15:00 IST)

દુષ્કર્મના આરોપી રાજસ્થાનના મંત્રી બાબૂલાલ નગરનુ રાજીનામુ

P.R
મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં પોલીસ તપાસનો સામનો કરી રહેલ રાજસ્થાનના ડેયરી અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી બાબૂલાલ નાગરે આજે પોતાનુ રાજીનામુ મુખ્યમંત્રી અશોક ગહલોતને મોકલી આપ્યુ.

આ પહેલા પોલીસનાં સીઆઇડી યૂનિટે મંત્રીની પૂછતાછ કરી હતી. પોલીસે સિવિલ લાઇન્સ સ્થિત નાગરનાં સરકારી નિવાસસ્થાનનાં એ રૂમને પણ સીલ કર્યો છે, જ્યાં પીડિતાએ પોતાની સાથે બળાત્કાર થયાની વાત કહી હતી. જો કે બાબૂલાલ પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. તેમણે કહ્યુ કે ષડયંત્ર હેઠળ તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે જયપુરનાં અજમેર રોડ નિવાસી એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે બાબૂલાલ નાગરે 11 સપ્ટેમ્બરે નોકરીની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે પોલીસે બાબૂલાલ નાગરની પૂછતાછ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે