શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2010 (11:44 IST)

પરમાણુ ખરડામાં ફેરફાર કરવા સરકાર તૈયાર

આલોચનાઓનો સામનો કરી રહેલ કેન્દ્ર સરકાર પરમાણુ જવાબદારી ખરડામાં ફેરફાર કરવા તૈયાર છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહણે કહ્યુ કે સરકારે ખરડામાં ફેરફાર માટે પોતાનુ મગજ ઓપન રાખ્યુ છે અને કોઈ પણ મહત્વપૂર્ણ સલાહને સ્વીકાર કરવા માટે તૈયાર રહેશે.

ખરડા માટે સમર્થન એકત્ર કરવાના ઉદ્દેશ્યથી ચૌહાણની વામ દળના નેતાઓની સાથે મુલાકાત થવાની આશા છે.

તેમણે કહ્યુ કે અમે મૂળ ખરડો, સંસદીય સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલ સલાહ કે કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ સુધારા માટે વાતચીત કરવા તૈયાર છીએ.