શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પુણે , સોમવાર, 31 ઑગસ્ટ 2009 (10:42 IST)

પુણેમાં સ્વાઈન ફ્લૂથી વધુ બે ના મૃત્યુ

મહારાષ્ટ્રના પુણે શહેરમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. જિલ્લામાં આ મહામારીથી બે અન્ય લોકોના મૃત્યુના સમાચાર છે, આ સાથે જ એકલા આ શહેરમાં સ્વાઈન ફ્લૂથી મરનારા લોકોની સંખ્યા 31 થઈ ગઈ છે.

હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું કે, 42 વર્ષીય વિલાસ પંડાલે અને 26 વર્ષીય અનિલ નિકમનું રવિવારે મોડી રાત્રે મૃત્યુ નિપજ્યું. બન્નેને ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં.

સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, કાલે જિલ્લામાં સ્વાઈન ફ્લૂથી આશરે 60 સંદિગ્ધ લોકોને વિભિન્ન હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યાં છે. જેઓ પૈકી 15 ની હાલત ગંભીર છે.