શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

પ્રધાનમંત્રીએ સુવર્ણમંદીરમાં માથુ ટેક્યુ

પ્રધાનમંત્રી મનમોહન સિંહે કોરોનરી બાઈપાસ સર્જરી કરાવ્યા બાદ રાજધાનીની બહાર પ્રથમ યાત્રામાં આજે સવારે સુવર્ણ મંદીર આવીને માથુ ટેક્યુ હતું.

આજે અહી પ્રધાનમંત્રીએ પત્ની ગુરશરણ કૌરની સાથે સુવર્ણ મંદીરની મુલાકાત લીધી હતી. તેમની યાત્રા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

મદિરના ગર્ભગૃહમાં સિંહ અને તેમની પત્નીને અકાલ તખ્તના જત્થેદાર જ્ઞાની ગુરબચનસિંહે સિરોપો ઓઢાડ્યો હતો. બાદમાં પ્રધાનમંત્રી અમૃતસરમાં પોતાના સગા સંબંધીઓને પણ મળ્યા.