શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , શનિવાર, 26 માર્ચ 2016 (17:03 IST)

બાબા રામદેવ લોંચ કરશે રતંજલિ એયરલાઈંસ, 22 એપ્રિલના રોજ લોચિંગની શક્યતા

પતંજલિ પ્રોડક્ટ્સમાં પોતાની ધાક જમાવી ચુકેલ બાબા રામદેવ હવે એયરલાઈંસ કંપનીઓને પણ ટક્કર આપવા જઈ રહ્યા છે.  બાબા રામદેવ પોતાના રતંજલિ એયરલાઈંસ લોંચ કરવા જઈ રહ્યા છે.  બાબાએ જણાવ્યુ કે આ એયરલાઈંસની લોંચિગ 22 એપ્રિલ સુધી લોંચિંગ કરવામાં આવશે.  એવુ કહેવાય રહ્યુ છે કે સરકારે પણ પૈસો લગાવ્યો છે.  કિંગફિશર એયરલાઈંસ બંધ થયા પછી રતંજલિ એયરલાઈંસ એક મુખ્ય પગલુ માનવામાં આવી રહ્યુ છે. 
 
લોંચિંગમાં પીએમ મોદી 
 
રામદેવે જણાવ્યુ કે આ એયરલાઈંસની ખાસિયત એ હશે કે તેમા પાયલોટ ધોતી કુરતામાં જોવા મળશે.  એયરહોસ્ટેસ ટ્રેડિશનલ કપડામાં જોવા મળશે.   તેમા ફક્ત વેજ જમવાનુ જ મળશે.  એવુ કહેવાય છે કે તેની લોંચિંગમાં પીએમ મોદી પણ આવશે. 
 
ભાડુ 
 
લખનૌથી દિલ્હી - 1500 રૂપિયા 
લખનૌથી બેંગલુરુ - 2500 
દિલ્હીથી મુંબઈ - 4000 રૂપિયા 
દિલ્હીથી ચેન્નઈ - 4000 રૂપિયા