શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 27 મે 2015 (17:19 IST)

બાબા રામદેવના આશ્રમમાં ગોળીબાર, એકનું મોત, ભાઈની ધરપકડ

યોગ ગુરૂ બાબા રામદેવના પતંજલિ ફૂડ એંડ હર્બલ પાર્કમાં બુઘવારે ફેક્ટરી કર્મચારીઓ અને ટ્રક યૂનિયનના સભ્યો વચ્ચે ફાયરિંગ થવાના સમાચાર સામે આવ્યા છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે જ્યારે કે અનેક લોકો ઘાયલ થઈ ગયા. બધા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાર પછી રોષે ભરાયેલા લોકોએ લક્સર-હરિદ્વાર રોડ પર ચક્કા જામ લગાવી દીધો.  
 
ઘટનાની ગંભીરતાને સમજતા એસએસપી સ્વીટી ઘટના સ્થળ પર પહોંચી. બીજી બાજુ આ મામલે રામદેવના ભાઈ રામભરતની ધરપકડ થઈ છે અને તેને પૂછપરછ માટે કનખલ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે.