Last Modified: પટણા , ગુરુવાર, 26 માર્ચ 2009 (12:45 IST)
બિહારે માંગ્યા ચાર હેલીકોપ્ટર !
બિહારના 40 સંસદીય વિસ્તારમાંથી 19 વિસ્તાર નકસલવાદથી પ્રભાવિત હોવાથી રાજ્ય સરકાર દ્નારા હવાઇ નિરીક્ષણ કરવા માટે કેન્દ્ર પાસેથી ચાર હેલીકોપ્ટરની માંગ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નકસ્લી ગતિવિધિઓ માટે સૌથી અધિક સંવેદનશીલ માનવામાં આવતા ઝારખંડથી જોડાયેલા બિહારના કૈમૂર રોહતાસ ઔરંગાબાદ ગયા નવાદા અને જમુઇ જિલ્લાના હવાઇ નિરીક્ષણ તથા ચૂંટણી સંબંધિત અન્ય કાર્યો માટે કેન્દ્ર પાસે ચાર હેલીકોપ્ટરની માંગ કરી છે.