નવી દિલ્હી. ભાજપ પર રાજનીતિ માટે દેશના ભાગલા પાડવાનો આરોપ લગાવતાં કોંગ્રેસ પ્રવક્તાએ આજે કહ્યું કે, અમરનાથ જમીનનો વિવાદીત મામલો તેઓ સંકળાયેલ પક્ષો સાથે વાતચીત કરીને જ લાવી શકે છે.
કોંગ્રેસ પ્રવકતા અને રાજ્યમંત્રી જિતિન પ્રસાદે અમરનાથ મુદ્દે વાત કરતાં જણાવ્યુ છે કે, માત્ર રાજનીતિક લાભ ખાટવા માટે ભાજપ દેશ અને સમાજમાં ભાગલા પાડવા ઇચ્છુક છે.
તેમણે કહ્યું તે આનાથી વિપરીત કોંગ્રેસે હંમેશા દેશના હિતને મહત્વ આપ્યું છે. કોંગ્રેસ માટે દેશભક્તિ પહેલી બાબત છે. પાર્ટી અને રાજનીતિ પછીની વાત છે. જિતિનને કહ્યું કે, અમરનાથ જમીન વિવાદનો ઉકેલ વિવધ પક્ષો સાથેની બેઠકમાં આવી શકે તેમ છે.