શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 30 જાન્યુઆરી 2013 (00:11 IST)

મને ભારતીય હોવાનું ગર્વ વિવાદ પર બોલ્યા શાહરૂખ

મારા દેશમા હુ સુરક્ષિત છું

P.R
બોલીવડ સ્ટાર અભિનેતા શાહરૂખ ખાને વર્તમાન વિવાદ પર મંગળવારે મોડી સાંજે આયોજીએત એક કાર્યક્રમમા% કહ્યુ કે લેખને વાચ્યા વગર જ મને સલાહ આપવામાં આવી રહી છે. મ આરી વિનંતી છે કે પહેલા મારો લેખ આખો વાંચી લે બાદમાં કોઈ પરિણામ પર પહોંચે

સુરક્ષા અંગેનાં નિવેદન બાદ સર્જાયેલા વિવાદ અંગે મંગળવારે મોડી સાંજે શાહરૂખ ખાને ખુલાસો કરતા જણાવ્યુ કે તેમનાં લેખ પર વિવાદ બકવાસ છે. અને લોકો લેખ વાંચ્યા વિના જ ટિપ્પણી કરી રહ્યા છે. શાહરૂખે કહ્યુ કે મેં ક્યારેય નથી કહ્યુ કે હું ભારતમાં અસુરક્ષિત અનુભવુ છું.

શાહરૂખ ખાને પાકિસ્તાનાં મંત્રી રહમાન મલિકને પણ સલાહ આપી કે બહારનાં લોકો આ મામલે ટિપ્પણી ન કરે. સમગ્ર વિવાદથી દુખી હોવાનું જણાવતા શાહરૂખે કહ્યુ કે મને કરોડો ભારતીય લોકોનો પ્રેમ મળ્યો છે. અને મને ભારતીય હોવા પર ગર્વ છે. ધર્મનાં નામે વિવાદ સર્જવો ખોટી બાબત છે.

શાહરૂખ ખાને કહ્યુ હું એક ફિલ્મી કલાકાર છું. અને મને ફકત અભિનય સાથે લેવાદેવા છે. કોઈએનુ પણ નામ લીધા વગર શાહરખે કહ્યુ કે મને સલાહ આપતા પહેલા આખો લેખ વાંચો.