શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: લખનઉ , મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (18:38 IST)

મુન્નાભાઈ બુધવારે લખનઉની મુલાકાતે

બોલીવુડનાં મુન્નાભાઈ સંજય દત્ત પોતાના પિતા સુનીલ દત્તની જુની યાદોને ફરી તાજી કરવા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે જશે.

જેમાં સુનિલ દત્ત જે ઘરમાં રહેતાં હતા, તે ઘરની પણ મુલાકાત લેશે. તેમજ સપા તરફથી લોકસભાનાં ઉમેદવાર ઘોષિત થયેલા સંજય દત્ત સ્થાનિક ડોક્ટરોને પણ મળશે. આ સાથે તે સુનિલ દત્ત જ્યાં ચાર વર્ષ નોકરી કરતાં હતાં, તે આકાશવાણી કેન્દ્રની પણ મુલાકાત લેશે.

ઉલ્લેખનીય છે કે સંજયે લખનઉથી ચુંટણી લડવાની ઘોષણા કર્યા બાદ, થોડા દિવસો પહેલાં લખનઉમાં રોડ શો યોજ્યો હતો.