શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

શહીદ હેમરાજનો અંતિમ સંસ્કાર, સુધાકર સિંહનુ મસ્તક હજુ મળ્યુ નથી

પાકિસ્તાનની બર્બર કરતૂતથી આખો દેશ સુન્ન છે. શહીદ લાંસ નાયક હેમરાજનું શહેર મથુરા ગુસ્સામાં છે. હેમરાજનો તેમના ગામમા અંતિમ સંસ્કાર કરી દેવામાં અવ્યો. બીજી બાજુ શહીદ લાંસનાયક સુધાકર સિંહનો અંતિમ સંસ્કાર આજે પૈતૃક નિવાસ મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં થશે.
P.R

શહીદોના સંબંધીઓ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. શહીદ હેમરાજનુ ક્ષત-વિક્ષત શરીર મંગળવારે સેનાને સરહદ પરથી મળી હતુ.. પુંછના મેંટર વિસ્તારમાં રાઉંડ લગાવી રહેલ ભારતીય સૈનિક પર પાકિસ્તાનની સેનાના જવાનોએ હુમલો કર્યો જેમા લાંસ નાયક શહીદ થઈ ગયા હતા. સુધાકર સિંહનુ માથુ હજુ સુધી મળ્યુ નથી. એવુ માનવામાં આવે છે કે પાકિસ્તાની સૈનિક પોતાની સાથે મસ્તક પણ લઈ ગયા છે.