શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

...તો કદાચ ચકલીઓ સંપુર્ણ લુપ્ત થઇ જશે

P.R
આજે વિશ્વ ચકલી દિવસ છે. ગુજરાતમાં નાની અને અત્યંત સુંદર પક્ષી ચકલીની ચી..ચી... આજે લુપ્ત થઇ ગઈ છે. પરંતુ ગણ્યા ગાઠયા લોકો સિવાય તેની નોંધ સુદ્ધા કોઈએ લીધી નહિ. બાળપણમાં વાર્તા સાંભળતા ત્યારે ચકલી ચોખાનો અને ચકો મગનો દાણો લાવતો ત્યારે લાગતું કે આ ચકલી કેટલી સારી રસોઈ બનાવી શકતી હશે અને બાળ મન કોને ખબર કેવા કેવા વિચારો એ ચઢી જતું. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસે જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે ઘર ચકલી હવે કેમ દેખાતી નથી.

જો આપણે જાગૃત નહિ થઈએ તો કદાચ ઘર ચકલી માત્ર પાઠ્ય પુસ્તકો પુરતી જ સીમિત રહી જશે. એક સમય હતો કે ઘરમાં માળો બાંધતી ચકલી અને તેના બચ્ચા એ જે અપાર સુખ આપણને આપ્યું છે તેને કોઈ કરી રીતે નકારી શકે.

ગુજરાતભરમાં ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં ઘર ચકલી દેખાય છે, બાકી ગુજરાતમાં આલીશાન બિલ્ડીંગ અને મોલની વચ્ચે આ સુંદર પક્ષી એવું તો રિસાયું કે કુદરતના કાળક્રમની વિરુદ્ધ જઈને તેણે ખેતર અને ખુલ્લી જગ્યા તરફ પ્રયાણ કર્યું. જે ચકલી માનવજાત અને તેની રહન સહનથી સુપેરે વાકેફ હતી અને એટલે જ તેને આપણે ઘર ચકલી કહેતા હતા તેણે માનવજાત સાથે નાતો તોડીને એકલું અટુલું જીવવાનું કેમ પસંદ કર્યું હશે ?, તેના વર્તનમાં આટલો મોટો ફેર કેમ જોવા મળે છે તે માટે ગુજરાતના નામી પક્ષી પ્રેમી દ્વારા ખુબ અસરકારક રીતે કાર્ય હાથ ધરાયું છે જેમાં એક વાતએ પણ બહાર આવી કે ચકલીને માનવવસ્તીની વચ્ચે રહેવું ગમે છે અને આ એક જ પક્ષી એવું છે જે માનવનું મિત્ર થઇ રહે છે. પરંતુ કાળક્રમે ગુજરાતમાં જૂની ઢબના મકાનો રહ્યા નહિ તેને પરિણામે ચકલી માનવવસ્તીથી દૂર જઈ બેઠી છે.