શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: જયપુર , રવિવાર, 8 માર્ચ 2009 (18:35 IST)

ભાજપા સાંસદ ભાર્ગવનું નિર્ધન

લોકસભામાં જયપુર માટે 6 વખત પ્રતિનિધિત્ત્વ કરનાર ભાજપ સાંસદ ગિરધારીલાલ ભાર્ગવનું રવિવારે અમદાવાદમાં નિધન થયું હતું. તે 71 વર્ષનાં હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની યાત્રા પર ગયેલા ભાર્ગવને હ્રદય રોગનો હુમલો થયો હતો, ત્યારબાદ તેમનું નિધન થયું હતુ. તેમના મૃતદેહને જયપુર લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

15મી લોકસભા માટે રાજસ્થાનમાંથી તેમનું નામ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. જે ફરી એક વખત લોકસભાથી ઉમેદવાર બનાવાયા હતા. તે 1989થી જયપુરથી ચુંટાઈ આવ્યા છે. તેમણે 1956માં નગર પરિષદની ચુંટણી જીતીને પોતાનાં જાહેરજીવનની શરૂઆત કરી હતી.