ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑક્ટોબર 2024 (13:34 IST)

Ratan Tata Death: આખા તાજ હોટલને બમથી ઉડાવી નાખો 26/11 ના આંતકી હુમલા પર રતન ટાટાએ બધાનુ દિલ જીતી લીધુ હતુ

ratan tata
Ratan Tata Death 26/11 Mumbai Attack - મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ હોટેલ તાજને પણ નિશાન બનાવ્યું હતું, જેના વિશે રતન ટાટાએ પાછળથી એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
 
વિશ્વના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાનું 9 ઓક્ટોબર, બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું. તમને જણાવી દઈએ કે ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે રતન ટાટાને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
ફાયરિંગ સમયે રતન ટાટા હોટલ પહોંચી ગયા હતા
વર્ષ 2008 માં, 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે દક્ષિણ મુંબઈમાં પ્રવેશ્યા હતા અને તાજ હોટેલ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સહિત શહેરના ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર હુમલો કરીને અરાજકતાનું વાતાવરણ સર્જ્યું હતું. રતન ટાટા તે સમયે 70 વર્ષના હતા અને ફાયરિંગ સમયે તેઓ તાજ હોટલના કોલાબા છેડે ઉભા જોવા મળ્યા હતા. 
 
એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ કહ્યું કે કોઈએ તેમને ફોન કરીને જાણ કરી કે હોટલની અંદર ગોળીબાર થઈ રહ્યો છે, ત્યારબાદ તેમણે તાજ હોટલના સ્ટાફને ફોન કર્યો, પરંતુ કોઈએ તેમનો ફોન રિસીવ કર્યો નહી. 
 
'સમગ્ર મિલકતને ઉડાવી દો' 
રતન ટાટાએ જણાવ્યું હતું કે આ પછી તેઓ કાર લઈને તાજ હોટલ જવા નીકળ્યા હતા, પરંતુ અંદરથી ગોળીબાર થઈ રહ્યો હોવાથી તેમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. તે ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ ખુલાસો કર્યો હતો કે તેમણે સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે, "એક પણ આતંકવાદીને જીવતો ન છોડવો અને જો જરૂરી હોય તો આખી સંપત્તિને ઉડાવી દો."

Edited By - Monica Sahu