ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 14 એપ્રિલ 2018 (15:23 IST)

ડૉ. બી.આર. આમ્બેડકરની 22 પ્રતિજ્ઞા જે તેમણે 1956માં બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મ અપનાવતી વખતે લીધી હતી....

ડો. બી.આર. આમ્બેડકરે બૌદ્ધ ધર્મમાં પરત ફરવાના પ્રસંગે 15 ઓક્ટોબર 1956ના રોજ પોતાના શિષ્યો માટે 22 પ્રતિજ્ઞાઓ નક્કી કરે. તેમણે આ શપથને નક્કી કરી જેથી હિન્દુ ધર્મના બંધનોને સંપૂર્ણ રીતે પૃથક કરી શકાય. આ 22 પ્રતિજ્ઞાઓ હિન્દુ માન્યતા અને પદ્ધતિયોની જડ પર ઊંડો આધાત કરે છે. એ પ્રતિજ્ઞાઓ નિમ્ન પ્રકારની છે. 
 
- હુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં કોઈ વિશ્વાસ નહી કરુ અને ન તો હુ તેની પૂજા કરીશ 
- હુ રામ અને કૃષ્ણ, જે ભગવાનના અવતાર માનવામાં આવે છે. હુ કોઈ આસ્થા નહી રાખુ અને ન તો હુ તેની પૂજા કરીશ. 
- હુ ગૌરી ગણપતિ અને હિન્દુઓના અન્ય દેવી-દેવતાઓમાં આસ્થા નહી રાખુ અને ન તો હુ તેમની પૂજા કરીશ. 
- હુ ભગવાનના અવતારમાં વિશ્વસ કરતો નથી 
- હુ ન તો એ માનુ છે અને ન તો માનીશ કે ભગવાન બુદ્ધ વિષ્ણુના અવતાર હતા. હુ આને પાગલપન અને ખોટો પ્રચાર માનુ છુ. 
- હું શ્રદ્ધા (શ્રાદ્ધ) માં ભાગ નહી લઉ અને ન તો હુ પિંડ-દાન કરીશ 
- હુ બુદ્ધના સિંદ્ધાંતો અને ઉપદેશોનું ઉલ્લંઘન કરનારા રીત પર કાર્ય નહી કરુ. 
- હુ બ્રાહ્મણો દ્વારા નિષ્પાદિત થનારા કોઈ પણ સમારંભને સ્વીકાર નહી કરુ. 
- હુ મનુષ્યની સમાનતામાં વિશ્વાસ કરુ છુ. 
- હુ સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ. 
- હુ બુદ્ધના આષ્ટાંગિક માર્ગનુ અનુશરણ કરીશ. 
- હુ બુદ્ધ દ્વારા નિર્ધારિત પરમિતોનુ પાલન કરીશ 
- હુ બધા જીવિત પ્રાણીયો પ્રત્યે દયા અને પ્રેમ ભરી દયાળુતા રાખીશ 
- હુ ચોરી નહી કરુ 
- હુ ખોટુ નહી બોલુ 
- હુ કામુક પાપો નહી કરુ 
- હુ દારૂ ડ્રગ્સ જેવા માદક પદાર્થોનુ સેવન નહી કરુ 
- હુ મહાન આષ્ટાંગિક માર્ગના પાલનનો પ્રયાસ કરીશ અને સહાનુભૂતિ અને પ્રેમ ભરી દયાળુતાનુ દૈનિક જીવનમાં અભ્યાસ કરીશ. 
- હુ હિન્દુ ધર્મનો ત્યાગ કરુ છુ જે માનવતા માટે હાનિકારક છે અને ઉન્નતિ અને માનવતાના વિકાસમાં બાધક છે કારણ કે આ અસમાનતા પર આધારિત છે અને સ્વધર્મના રૂપમાં બૌદ્ધ ધર્મને અપનાવુ છુ. 
- હુ દ્દ્રઢતા સાથે એ વિશ્વાસ કરુ છુ કે બુદ્ધનો ધર્મ જ સાચો ધર્મ છે. 
- મને વિશ્વાસ છેકે હુ ફરીથી જન્મ લઈ રહ્યો છુ. (આ ધર્મ પરિવર્તન દ્વારા)
- હુ ગંભીરતા અને દ્રઢતા સાથે જાહેર કરુ છુ કે હુ ધર્મ પરિવર્તન પછી પોતાના જીવનના બુદ્ધના સિદ્ધાનો અને શિક્ષાઓ અને તેમના ધર્મ મુજબ માર્ગદર્શન કરીશ. - ડો. બી.આર. આંબેડકર