સંબંધિત સમાચાર
- CBSE 12th Marking: સીબીએસઈએ બતાવ્યો 12મા ના માર્કિંગનો ફોર્મૂલા, અહી સમજો કેવી રીતે મળશે માર્ક્સ
- Covid 19: પીએમ મોદીની ફ્રંટલાઈન વર્કર્સને ભેટ, લોંચ કરશે Customized Crash Course પ્રોગ્રામ
- પંજાબ ચૂંટણી પહેલા ભાજપાની તૈયારી, સામેલ થયા મોટા નામ
- ગાઝિયાબાદમાં એક વૃદ્ધ સાથે મારપીટ બદલ કોંગ્રેસ નેતા અને ટ્વિટર સહિત 9 પર એફઆઈઆર, વીડિયો વાયરલ થતા ન રોકવાનો આરોપ
- 80 કરોડ લોકોને નવેમ્બર સુધી મળશે મફત અનાજ, નવા નિયમો મુજબ ભરવુ પડશે નેશનલ ફુડ સિક્યોરિટી ફોર્મ
નેપાળમાં જળ પ્રલય - ભારે વરસાદ પછી આવ્યુ પુર, અત્યાર સુધી 7 ના મોત, 50 લાપતા
મુશળધાર વરસાદ બાદ પૂરને કારણે નેપાળમાં પૂરનો માહોલ સર્જાયો છે. મધ્ય નેપાળમાં નદીમાં આવેલા પુરને કારણે અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 50 થી વધુ લોકો લાપતા છે. પૂરના પાણીની તેજ ગતિને કારણે અનેક પુલ ધરાશાયી થયા છે. આને કારણે ટ્રાફિક પણ અટવાય ગયો છે. પુલ તૂટી પડતાં બચાવ કામદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
સિંધુપાલચોકમાં આવેલ પુરે તબાહી મચાવી
છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદની સૌથી વધુ ખરાબ રીતે અસર મધ્ય નેપાળમાં સિંધુપાલચોકમાં મેલમ્ચી નદીમાં પૂર આવી ગયુ. બધા સાત લોકોનાં મોત અહી જ થયા છે. મંગળવારે રાત્રે મૃતકોના મૃતદેહ મળી આવ્યા. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે લગભગ 50 લોકો લાપતા છે, તેમાંના મોટા ભાગના મેલામ્ચી પીવાના પાણીના પ્રોજેક્ટમાં કામ કરનારા મજૂરો છે.
50 થી વધુ લોકો હજી પણ લાપતા
ફેસબુક પર સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી શેર બહાદુર તમાંગે જણાવ્યું હતું કે મેલમ્ચી અને ઇદ્રાવતી નદીઓમાં પૂરમાં 50 થી વધુ લોકો લાપતા છે. પૂરના કારણે મેલમ્ચી પીવાના પાણી પુરવઠા પ્રોજેક્ટ ટીમ્બૂ બજાર, ચનાઉત બજાર, તાલામરંગ બજાર અને મેલમ્ચી બજારના ડેમોને પણ નુકસાન થયું છે.
