આકાશમાંથી મોત બનીને ત્રાટકી વિજળી, પશ્ચિમ બંગાળમાં 13 લોકોએ ગુમાવ્યો જીવ
ગુરુવારે પશ્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ બર્ધમાન જિલ્લામાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૩ લોકોનાં મોત થયા. અધિકારીઓએ આ માહિતી આપી. બાંકુરા પોલીસ અધિક્ષક વૈભવ તિવારીએ જણાવ્યું હતું કે જિલ્લાના વિવિધ ભાગોમાં વાવાઝોડા દરમિયાન વીજળી પડવાથી આઠ લોકોનાં મોત થયા છે.
તેમણે કહ્યું કે ઓંડામાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે કોતુલપુર, જોયપુર, પત્રસાયર અને ઇન્દાસ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વીજળી પડવાથી એક-એક વ્યક્તિનું મોત થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે જણાવ્યું હતું કે પૂર્વ બર્ધમાન જિલ્લામાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે.