ફિલીપીંસમાં કાલમેગીનો કોહરામ, જુઓ મચાવેલી તબાહીની ભયાનક તસ્વીરો
ફિલીપીંસમાં આવેલ શક્તિશાળી વાવાઝોડુ કાલમેગીએ કોહરામ મચાવ્યો છે. વાવાઝોડુ તો ગયુ પણ પોતાની પાછળ તબાહીના નિશાન છોડી ગયુ છે. પરિસ્થિતિ એવી છે કે અહી અનેક વિસ્તારોમાં ભારે તબાહી થઈ છે.
રાષ્ટ્રપતિ માર્કોસે વાવાઝોડા પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આપત્તિ પ્રતિભાવ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. આ ઘોષણા સરકારને કટોકટી રાહત ભંડોળના પ્રકાશનને ઝડપી બનાવવામાં અને ખાદ્ય સંગ્રહ અને નફાખોરીને રોકવામાં મદદ કરશે.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે વાવાઝોડા ને કારણે દેશના મઘ્ય વિસ્તારમાં ઓછામાં ઓછા 241 લોકોના મોત થયા. અનેક લાપતા થયા પછી કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં આવેલી ભીષણ પ્રાકૃતિક આપદા છે.
વાવાઝોડા કાલમેગીના કારણે થયેલા મોટાભાગના મૃત્યુ અચાનક પૂરમાં ડૂબી જવાથી થયા હતા, જ્યારે 127 લોકો ગુમ થયા છે. આમાંથી મોટાભાગના લોકો મધ્ય પ્રાંત સેબુના રહેવાસી હતા, જે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત હતો.
ફિલિપાઇન્સમાં વિનાશ વેર્યા પછી, વાવાઝોડું દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના પ્રકોપથી લગભગ 20 લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 5.6 લાખથી વધુ ગ્રામજનો વિસ્થાપિત થયા છે.