શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 10 એપ્રિલ 2022 (10:54 IST)

15 કલાકમાં નાગણીએ લીધો બદલો- બાપે નાગને માર્યો... નાગણીએ પુત્રને દંશ માર્યો

Snake First Bit
સીહોરમાં નાગને માર્યા બાદ 15 કલાક પછી નાગણીએ 12 વર્ષના બાળકને દંશ માર્યો; તાંત્રિક વિધિના ચક્કરમાં મળ્યું મોત
 
સીહોરમાં એક વ્યક્તિએ નાગને કચડીને મારી નાખ્યો. જેના 15 કલાક પછી નાગણીએ તે વ્યક્તિના 12 વર્ષના પુત્રને દંશ મારી દીધો. જેમાં તેનું મોત થઈ ગયું. આ મામલો મધ્યપ્રદેશના બુદની તાલુકાના જોશીપુર ગામનો છે. વ્યવસાયે મજૂર કિશોરી લાલના ઘરે નવરાત્રિના જ્વારા મૂકવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે સવારે 9 વાગ્યે ઘરની પાસે એક નાગ જોવા મળ્યો, જેને કિશોરી લાલે મારીને જંગલમાં ફેંકી દીધો. રાત્રે 2 વાગ્યે નાગણીએ ઘરમાં સુઈ રહેલા તેના પુત્ર રોહિતને દંશ મારી દીધો.
 
રોહિતે બૂમો પાડતા પરિવારના લોકો જાગી ગયા. પરિવારના લોકોએ પહેલા તેની સારવાર કરાવવાને બદલે તાંત્રિક વિધિનો સહારો લીધો. જે બાદ પણ સ્થિતિ ન સુધરી તો બાળકને નર્મદાપુરમ (હોશંગાબાદ)ની હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોકટરે તેને ભોપાલ રેફર કરી દીધો, પરંતુ પરિવારના લોકો રોહિતને ફરી પોતાના ગામ લાવ્યા. તેમને ગામમાં ફરી તાંત્રિક વિધિનો સહારો લીધો. સવારે લગભગ 5 વાગ્યે રોહિતનું મોત થઈ ગયું.