નવરાત્રિ ઘટસ્થાપના મુહુર્ત 2013
શારદીય નવરાત્રિ ઘટસ્થાપના મુહુર્ત 2013
ઘટસ્થાપના અર્થાત કળશ સ્થાપના એ નવરાત્રિની એક ધાર્મિક પ્રક્રિયા છે. આ વર્ષે દુર્ગા નવરાત્રિ 5 ઓક્ટોબર 2013 થી 13 ઓક્ટોબર સુધીની છે. કળશ સ્થાપના પ્રતિપ્રદાના રોજ અર્થાત 5 ઓક્ટોબર 2013ના રોજ કરાશે. કળશ મતલબ એક માટીનો ઘડો અને સ્થાપના મતલબ એક નિશ્ચિત સ્થાન પર તેને નવ દિવસ સુધી મુકવો. આ ઘડામાં પાણી ભરવામાં આવે કે પછી કેટલાક લોકો ગરબી (કાણાવાળો ઘડો) મુકે છે અને તેમા નવ દિવસની અખંડ જ્યોત પ્રગટાવે છે. આ જ્યોત કે પાણીને દુર્ગાના પ્રતિક રૂપે માનવામાં આવે છે. આ કળશ પવિત્ર સ્થાન કે પૂજાઘરમાં મુકવામાં આવે છે અને નવ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે જ્વારા ઉગાડે છે. ઘટસ્થાપના મુહુર્ત આ વર્ષે ઘટસ્થાપનાનું શુભ મુહુર્ત 5 ઓક્ટોબર 2013ના રોજ આ પ્રમાણે છે. સવારે શુભ ચોઘડિયા મુજબ 6:00 થી 7:28 વાગ્યા સુધી અને અભિજીત મુહુર્ત બપોરે 12:03 થી 12:50 સુધી આગળ ઘટસ્થાપનાનું મહત્વ
કળશ સ્થાપના એ માં દુર્ગાનું તમારા ઘરમાં આગમનનું પ્રતિક ગણાય છે. આ એક શુદ્ધતા અને શુકન ગણાય છે. કળશ સ્થાપના કરવાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશીઓનું આગમન થાય છે. જ્વારા કે ઘઉં રોપવા - બીજ આપણને અનાજ આપે છે. નવરાત્રિમાં બીજ રોપવા (જ્વારા ઉગાડવા)એ તમારા ઘરની સુખ સંપત્તિ વધવાનુ પ્રતિક ગણાય છે. (જે રીતે જ્વારા વધે એ રીતે તમારા ઘરની સુખ-શાંતિ વધે એમ કહેવાય છે) ઘટસ્થાપનાની સરળ વિધિ -
નવરાત્રિ શરૂ થતા પહેલા તમારા ઘરમાં સારી રીતે સાફ સફાઈ કરો -
સવારે જલ્દી ઉઠી નિત્ય કાર્યથી પરવારી ઘટસ્થાપના કરવાના સ્થળને ગંગાજળ છાંટી શુદ્ધ કરો અને ડેકોરેટ કરો. -
કળશને સાફ કરી પાણીથી ભરો અને ભગવાનની સામે મુકો, તમે તાંબાનો કે ચાંદીનો કળશ પણ વાપરી શકો છો. -
હવે કળશમાં શુદ્ધ પાણી ભરો, તેની ઉપર આસોપાલવ કે કેરીના ઝાડના પાન મુકો અને તેની પર નારિયળ મુકો. -
હવે કળશની ઉપર લાલ દોરો બાંધો. -
હવે બાગની માટી લાવીને કળશની આસપાસ નાખો અને તેમા થોડા અનાજના બીજ નાખી દો. તમે આ માટે કોઈ વાસણનો પણ ઉપયોગ કરી શકો છો. -
સવાર સાંજ આરતી કરી દિપક પ્રગટાવો, તમે અખંડ જ્યોત પણ પ્રગટાવી શકો છો. -
દુર્ગા દેવીને ચુંદડી, ફુલ, પાન, ચોખા, હળદર, કંકુ, ચંદન અને બીજી પૂજા સામ્રગી ચઢાવો. -
મંત્ર વડે કે માતાના 108 નામનું સ્મરણ કરો. -
હવે આરતી કરીને મા દુર્ગાને પ્રસાદ અર્પણ કરો.