શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (18:05 IST)

ભારતને મળી વધુ એક વેક્સીન - મુકેશ અંબાનીની કંપની રિલાયંસ લાઈફ સાયંસેજને કોરોના વેક્સીનના ક્લીનીકલ ટ્રાયલની મંજુરી

મુકેશ અંબાનીની માલિકીવાળી રિલાયંસ સમૂહને હવે કોરોના વાયરસથી બચવા માટે વેક્સીનના નિર્માણની દિશામાં પણ પગલા વધારી દીધા છે.  મુકેશ અંબાનીના નેતૃત્વવાળી કંપની રિલાયંસ લાઈફ સાયંસેજે કોરોનાથી બચવા માટે બે ડોઝવાળી વિકસિત કરી છે. રિલાયંસ લાઈફ સાયંસેજે આ વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ માટે અરજી કરી હતી. 
 
ભારતની ડ્રગ્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રિલાયન્સ લાઇફ સાયન્સની ડબલ ડોઝ રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. રિલાયન્સ લાઇફ સાયન્સની કોરોના વેક્સીનને પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવાનો નિર્ણય ગુરુવારે વિષય નિષ્ણાત સમિતિ (SEC) ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. રિલાયન્સ લાઇફ સાયન્સની અરજી પર એસઇસીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
SEC ની બેઠકમાં રિલાયન્સ લાઇફ સાયન્સની અરજીની સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધપાત્ર રીતે, રસીના ક્લિનિકલ ટ્રાયલ્સના પ્રથમ તબક્કાનો ઉદ્દેશ મેક્સીમમ ટોલરેટેડ ડોઝ (MTD) નક્કી કરવા માટે વેક્સીનની સુરક્ષા, સહનશીલતા, ફાર્માકોકાઈનેટિક્સ અને દવા ક્રિયાની પદ્ધતિ વિશે યોગ્ય માહિતી પ્રાપ્ત કરવાનો હોય છે.