શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 મે 2021 (21:08 IST)

Cyclone Eye- શું હોય છે ચક્રવાતની આંખ કેવી રીતે નક્કી થાય છે તે કેટલુ ભયાનક છે ?

આ સમયે મહારાષ્ટ્ર પર ચક્રવાતી વાવાઝોડું Cyclone Taukatae કહેર મચાવી રહ્યો છે સેટેલાઈટ ફોટામાં જણાવી રહ્યુ છે કે તે ખૂબ ગંભીર સ્તરનો ચક્રવાતી વાવાઝોડું છે તેની આંક્ગ આ સમયે ગુસ્સાથે મુંબઈ પર નજર રાખી બેસી છે. આખરે આ ચક્રવાતની આંખ શું હોય છે? તેનો વાવાઝોડું તીવ્ર હવાઓ અને વરસાદથી શું લેવુ-દેવું છે? કેવી રીતે નક્કી હોય છે તેની તીવ્રતા અને ભયાવહતા? આવો જાણીએ ચક્રવાતની આંખની રોચક વાર્તા...
 
કોઈ પણ ચક્રવાતના મધ્ય એટલે કે કેંદ્ર આંખ કે Eye કહે છે. કોઈ પણ ચક્રવાતી વાવાઝોડાની આંખની પહોડાઈ એટલે કે વ્યાસ ઔસત 30 સે. કિલોમીટર સુધી થઈ શકે છે. આંખને ચારે બાજુ ફરતા વાદળ હોય છે. આંખના ઠીક નીચે આંખની દીવાલ હોય છે. આ એક પ્રકારનો તીવ્રતાથી ફરતા વાદળનો છલ્લો હોય છે. આ ત્યારે બને છે જ્યારે ચક્રવાતી વાવાઝોડાનો સ્તર ગંભીર કે ખૂબ ગંભીર હોય છે. 
અત્યંત ગંભીર વાવાઝોડાની આંખની વચ્ચો વચ્ચે રિક્ત હોય છે. આ 
રિક્તતા 30 થી લઈને 65 કિલોમીટર વ્યાસનો થઈ શકે છે પણ તેના ચારે બાજુ તીવ્રતાથી ફરતા વાદળ, હળવી હવા, કડકડાતી વિજળી અને તીવ્ર વરસાદ હોય છે. હળવા સ્તરના ચક્રવાતમાં આંખ બને છે પણ તે ગંભીર ચક્રવાતની આંખની રીતે દીવાલ નહી બનાવી શકે. તેના ઉપર વાદળોનો કવર ચઢેલો રહે છે. 
 
કોઈ પણ વાવાઝોડાની આંખ તે સાઈક્લોનના જિયોમેટ્રીક સેંટર હોય છે . આ બે પ્રકારનો હોય છે. ક્લિયર આઈ એટલે કે સ્પષ્ટ આંખ જેમા એક ગાઢ ગોલા સાફ રીતે ચક્રવાતના વચ્ચે જોવાય છે. બીજો ફિલ્ડ આઈ એટલે તેમાં આંખ તો બને છે પણ તેની અંદર હળવા અને મધ્યમ સ્તરના તોફાની વાદળ ફસાયેલા રહે છે. તેથી જ્યાં પણ ચક્રવાતી વાવાઝોડાની આંખ હોય છે ત્યાં તીવ્ર હવાઓ તો ચાલી શકે છે પણ વરસાદ ઓછી કે ન સમાન હોય છે આવો જાણીએ આ ચક્રવાતી આંખ કેટલા પ્રકારની હોય છે. 
નાની કે મિનિસ્ક્યૂલ આંખ- નાની આંખનો ઘેરાવ 19 કિલોમીટરનો વ્યાસનો હોય છે તેની અંદર બનતી આંખની દીવાલ બનતી-બગડતી રહે છે. તે  છતાંય મુખ્ય આંખ ચારી બાજુની દીવાલ બને છે. આ કેટલાક કિલોમીટર થી લઈને ઘણા કિલોમીટર દૂર સુધી ફેલી શકે છે તેને કહે છે કોસેંટ્રિક આઈવાલ એટલે કે આંખનો નિર્માણ થવું.  તેમાં હવાઓની ગતિ 45  થી 100 કિલોમીટર દર કલાકે હોય છે. 
 
મધ્યમ આંખ - ઘણા વાવાઝોડા ખૂબ મોટા નહી પણ ખતરનાક હોય છે અ નિર્ભર કરે છે  વાયુમંડળના દબાવ, મહાદ્વીપીય હવાઓની તીવ્રતા ગરમી, ઉમસ અને ફરતા વાદળની ગતિ પર તેમી આંખ સામાન્ય રીતે 65 થી 80 કિલોમીતર વ્યાસની હોય છે. એવા વાવાઝોડા સામાન્ય રીતે ઉષ્ણ કટિબંધીય દેશમાં આવે છે. તેમાં હવાઓની ગતો 80 થી 115 કિલોમીટર દર કલાકે હોય છે પણ તીવ્રતા વધતા હવાઓની તીવ્રતા વધી શકે છે. 
મોટી આંખ- દુનિયાના ઈતિહાસમાં અત્યારે સુધી જે સૌથી મોટું વાવાઝોડુ આવ્યો હતો તે હતો ટાઈફૂન કાર્મેન તેની આંખ 370 કિલોમીટર વ્યાસની હતી. જ્યારે સૌથી નાનો સાઈક્લોન હરિકેન વિલ્મા હતો. તેની આંખ માત્ર 3.7 કિલોમીટર વ્યાસની હતી તેમાં હવાની ઝડપ 115 કિલોમીટરથી લઈને 250 કિલોમીટર દર કલાકની થઈ શકે છે. 
 
સામન્ય રીતે કોઈ પણ ચક્રવાતની આંખની ફોટા સેટેલાઈટ કે અંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનથી લેવાય છે. કારણ કે તકનીક કે માણસ ચક્રવાતી વાવાઝોડાના વચ્ચે જવાની હિમ્મક્ત નહી કરી શકે. તેના માટે સામાનરૂપે હરિકેન હંટર્સ નામનો વિમાન ચક્રવાતના ઉપર મોકલાય છે જેથી તે ત્યાંથી તેની આંખ અને તીવ્રતાની ખબર પડી શકે. કોઈ પણ ચક્રવાતી વાવાઝોડાની આંખથી જ તેની તીવ્રતા અને ભયાવહતાની ખબર પડે છે. 
 
જેટલી મોટી અને ગહરી આંખ તેટલો વધારે ભયાવહ ચક્રવાતી વાવાઝોડા. પણ તમને આ જાણીને હેરાની થશે કે ચક્રવાતી વાવાઝોડાનો સૌથી શાંત અને નુકશાન ન પહોચાડનાર વિસ્તાર તેમની આંખ જ હોય છે. કારણકે ત્યાં ન તો વરસાદ થઈ રહી હોય છે  ન વિજળી કડકશે કે પડવાનો ડર. ન તીવ્ર ફરતા વાદળ હોય છે. ક્યારે-ક્યારે આંખની વચ્ચો વચ્ચે તીવ્ર હવા કે ઉમસ બન્ને સ્થિતિ બની શકે છે. કારણકે આસપાદ તીવ્રતાથી ફરતા વાદળ હવા અને ભેજને પહેલા ખેંચે છે પછી તીવ્રતાથી પરત કરે છે. 
 
ચક્રવાતી વાવાઝોડાની આંખનો તાપમાન ખૂબ ઓછું હોય છે. Cyclone Tauktae ની આંખનો તાપમાન માઈનસ 2 ડિગ્રી સે. છે. જ્યારે સૌથી ઠંડી આંખ ધુવ્રીય વિસ્તારમાં આવનાર ચક્રવાતી વવવાઝોડાની હોય છે. આ વાવાઝોડા પોલર લોજ કહે છે તેમાં હવાઓની ઝડપ 50 કિલોમીટર દર કલાકની હોય છે. જો ચક્રવાતી વાવાઝોડા સમુદ્રની ઉપર બને છે તો સૌથી વધારે ખતરો સમુદ્રમાં જ હોય છે. કારણકે આ સમયે તીવ્ર ઝડપથી મોજા ઉઠે છે તેની ઉંચાઈ 6 ફીટથી 25 ફીટ સુધી જઈ શકે છે. 
 
Cyclone Tauktae ને ખૂબ ગંભીર ચક્રવાતી વાવાઝોડાની શ્રેણીમાં રખાયુ છે. અત્યારે આ ચક્રવાતની આંખ મુંબઈથી 155 કિલોમીટર પશ્ચિમ ઉત્તર-પશ્ચિમની  તરફ છે. આ આજે જ મુંબઈ અને મહારાષ્ટ્રમાં તીવ્ર હવાઓ ચાલતા ગુજરાતની તરફ જશે. 17 તારીખને તેનાથી વહેનારી હવાની સૌથી વધારે ઝડપ 155 કિલોમીતર દર કલાકે સુધી જઈ શકે છે. અત્યારે તેના કારણે 70 થી 80 કિલોમીટર દર કલાકે હવા વહી રહી છે. 
ભારતીય હવામાન વિભાગની માનીએ તો Cyclone Tauktae ગુજરાત પહોંચતા સુધી તેમની હવાની ઝડપને 185 કિલોમીટર દર કલાકે સુધી પહોંચાડી શકે છે. અત્યારે આ 13 કિલોમીટર દર કલાકની ઝડપથી  ઉત્તર-ઉત્તર-પશ્ચિમની તરફ વધી રહ્યો છે તેનો આગળનો ટારગેટ પોરબંદર અને ભાવનગર જિલ્લા થઈ શકે છે. અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ સુધી તેની હવાઓની ઝડપ 185 કિલોમીટર દર કલાકે થઈ શકે છે. પછી ધીમે-ધીમે તેની ઝડપ ઓછી થવા શરૂ થશે.