શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 22 નવેમ્બર 2017 (17:45 IST)

Video - ગુજરાતમાં પદમાવતિ ફિલ્મ રિલીઝ નહીં થાય - સીએમ રૂપાણીની જાહેરાત

ફિલ્મ પદ્માવતીને લઈને વાદ વિવાદ સર્જાયા છે તો બીજી તરફ 1 ડિસેમ્બરે ફિલ્મ પદ્માવતી રીલિઝ થવાની છે જેનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. દેશના મોટા ભાગના રાજ્યો ફિલ્મ પદ્માવતીની રીલીઝને લઈને નામુકર કરી ગયા છે તો બીજી તરફ ગુજરાત પણ ફિલ્મ પદ્માવતી રીલીઝ નહિં થાય. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ્માવતી ફિલ્મ ગુજરાતમાં રીલીઝ નહીં થાય તે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 
રૂપાણીનું કહેવું છે કે આ ફિલ્મથી સામાન્ય પ્રજાની લાગણીઓ દુભાઈ શકે છે, તે ઉપરાંત ગુજરાતમાં ચૂંટણીનો પણ માહોલ હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તેને જોતાં આ નિર્ણય લેવાયો છે. આ ફિલ્મનો વિવાદ જ્યાં સુધી ઉકેલાય નહીં ત્યાં સુધી ફિલ્મને ગુજરાતમાં રિલીઝ નહીં થવા દેવાય, રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે આ ફિલ્મમાં કેટલાક મુદ્દાઓ સત્યથી દૂર છે. જેથી રાજપૂત સમાજની લાગણીઓ દુભાઈ છે.