સંબંધિત સમાચાર
- રક્ષાબંધન પહેલા મોદીની બહેનોને ભેટ- મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેર કરી
- LIVE, IND VS ENG, 2nd Test Day 1- ભારતની બેટીંગ શરૂ, રોહિત શર્મા- કે એલ રાહુલ ક્રીઝ પર
- કોરોના સાથે કેન્સરથી પણ બચો- ગુજરાતમાં દોઢ વર્ષમાં કોરોનાથી 10,07 મોત , જ્યારે ત્રણ વર્ષમાં કેન્સરને કારણે 1,11,933 લોકોનાં મોત
- જે ડર હતું તે જ થયું - શાળાઓ અને કોલેજો ખૂલ્યા બાદ કોરોનાના ફેલાતા કહેરની અસર
- ગુજરાતના રાજકારણમાં દીદીની એન્ટ્રી- ગુજરાત પોલિટિક્સમાં મમતા દીદીની એન્ટ્રી !
પેટ્રોલ પંપ માલિકો આંદોલન પર-કમિશન વધારવાની માગ સાથે રાજ્યના પેટ્રોલ પંપ માલિકો ઈંધણ ન ખરીદી દર્શાવશે વિરોધ
રાજ્યના 4 હજારથી વધુ પેટ્રોલ પંપના માલિકો આંદોલનના માર્ગે ચડ્યાં છે. ત્રણેય ઓઇલ કંપનીઓ સામે ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને બાંયો ચડાવી છે. પેટ્રોલ, ડીઝલ અને CNG માં છેલ્લાં 3 વર્ષથી કમિશન ન વધતા એસોસિએશનએ આંદોલનનો માર્ગ નક્કી કર્યો છે.
ગુરુવારે રાજ્યના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં નહીં આવે. દૈનિક 2 કરોડ 75 લાખ લીટર પેટ્રોલ-ડીઝલની ઓઇલ કંપનીઓ પાસેથી ખરીદી થાય છે. જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી દર ગુરુવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરવા એલાન કરાયું છે. દર ગુરુવારે બપોરે 1થી 2 CNG નું વેચાણ પણ બંધ રાખવામાં આવશે. હાલમાં પેટ્રોલમાં 3 રૂપિયા, ડિઝલમાં 2 રૂપિયા અને CNG પર 1.75 પૈસા કમિશન મળે છે.
આગળનો લેખ
