શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: જ્ઞાન સરોવર (માઉન્ટ આબુ) , શનિવાર, 27 મે 2023 (19:46 IST)

દાનને કારણે દેવોની પૂજા થાય છે : રાજયોગી બ્રીજમોહનભાઈ

daan
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક બી.કે. ગિરીશભાઈ જ્ઞાન સરોવર અને ભરત શાહ ગાંધીનગરના જણાવ્યાનુસાર, આજે માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર એકેડેમીના હાર્મની હોલમાં રાજયોગા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની ભગીની સંસ્થા, બ્રહ્માકુમારીઝ જ્યુરીસ્ટ પ્રભાગના નેજા હેઠળ દીપ પ્રગટાવીને *અખિલ ભારતીય ન્યાયવાદી પરિષદ* નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  કોન્ફરન્સની થીમ હતી *"એક્ઝાલ્ટેશન ઓફ જ્યુરીસ્ટ થ્રુ સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ"*.  તેમાં દેશના લગભગ દરેક ભાગના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
 
     બ્રહ્માકુમારીના પ્રિન્સિપલ સેક્રેટરી રાજયોગી બ્રિજમોહનભાઈજીએ આજના સંમેલનની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે,આપણી પાસે જે કંઈ છે તે આપણે દુનિયાને આપી શકીશું. કોઈપણ જાતના ભેદભાવ વિના આપણે સૌને *શુભકામના* ઓ આપવાની છે. આપણે બધા જોઈએ છીએ કે *દેવાની મુદ્રા* માં દેવતાઓ હંમેશા પોતાનો હાથ સામે રાખે છે.  દેવતાઓની આ પરોપકારને કારણે તેઓ સમગ્ર વિશ્વમાં પૂજવામાં આવે છે.તેમણે એક રાજાની વાર્તા કહી.  જેનો અર્થ એ હતો કે સુખ આપવાથી જ સુખ મળે છે.  આપનાર રાજા અથવા ભિખારી હોઈ શકે છે. તેમણે સભાને પૂછ્યું કે આધ્યાત્મિક સશક્તિકરણ કોણ લાવી શકે?  શું આવું સશક્તિકરણ આવ્યું?  સશક્તિકરણનો સ્ત્રોત કોણ છે?  તે સ્ત્રોત છે પરમાત્મા.  આપણે બધા ભગવાન પાસેથી શક્તિ લઈને પોતાને સશક્ત કરીએ છીએ. તેમના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીને આપણને શક્તિ મળે છે. આ કળા શીખવાથી આપણે બધા જ પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી શકીશું.
 
       બ્રહ્માકુમારીઝ જ્યુરિષ્ટ વિંગના અધ્યક્ષ રાજયોગીની પુષ્પા દીદીજીએ ધ્યાન અંગે માર્ગદર્શન આપ્યું હતું અને યોગાભ્યાસ પણ કરાવ્યો હતો.  કહ્યું, સશક્તિકરણ માટે આધ્યાત્મિકતા જરૂરી છે.  આધ્યાત્મિકતા દ્વારા જ કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને મૂલ્યવાન બનાવીને ન્યાય આપી શકશે. 
 
       મુખ્ય મહેમાન તરીકે ઓરિસ્સા હાઈકોર્ટના ન્યાયાધીશ ભાઈ બી.ડી. સારંગીએ સભા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે ભારતના ઘણા ભાગોમાંથી ન્યાયશાસ્ત્રીઓ અને વકીલો અહીં આવ્યા છે.  હું કહેવા માંગુ છું કે સામાજિક ન્યાય માટે ન્યાયિક પ્રણાલીનું સશક્તિકરણ હોવું જરુરી છે.  મારી વિનંતી છે કે ન્યાયશાસ્ત્રીઓએ સમયની પાબંદીનું પાલન કરવું જોઈએ. ત્યારે લોકોનો તેમનામાં વિશ્વાસ વધશે.  ન્યાયતંત્ર સફળ થશે.  ન્યાયશાસ્ત્રીઓએ પોતાની જાતને તમામ પ્રકારની માયા અને મોહથી દૂર રાખવી એ  સશક્તિકરણની પહેલી શરત હશે.
 
      બ્રહ્માકુમારીઝ જ્યુરિષ્ટ વિંગના રાષ્ટ્રીય સંયોજક રાજયોગીની લતાબહેને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.  તેમણે પરમપિતા પરમાત્માને સર્વોચ્ચ ન્યાયશાસ્ત્રી ગણાવ્યા અને કહ્યું કે તેઓ જાની જાનનહાર છે અને તેઓ આપણા વિશે બધું જાણે છે. તેમના આશીર્વાદથી આપણે મજબૂત બનીશું.
 
       જ્યુરીસ્ટ વિંગ, મુંબઈના નેશનલ કોઓર્ડિનેટર ડો.રશ્મિબેન ઓઝાએ આજની કોન્ફરન્સનો ધ્યેય સૌની સામે મુક્યો.  તેમણે વિવિધ ઉદાહરણો દ્વારા કહ્યું કે જ્યારે વ્યક્તિ આધ્યાત્મિક રીતે મજબૂત હોય છે ત્યારે જ તે ન્યાય કરી શકે છે.  અન્યથા ભૂલો થતી રહે છે.  સફળતા માટે આધ્યાત્મિક સશક્તિકરણ જરૂરી છે.
 
       આંધ્ર હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી. ઇશ્વરૈયાએ આ સ્વરૂપમાં પોતાના શબ્દો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતના બંધારણનું લક્ષ્ય બધાને સામાજિક ન્યાય આપવાનું છે.  હવે ન્યાયશાસ્ત્રીઓ સામાજિક ન્યાય કેવી રીતે આપી શકશે?  જ્યાં સુધી દરેક વ્યક્તિ આધ્યાત્મિક રીતે મજબૂત ન હોય ત્યાં સુધી આ શક્ય બનશે નહીં.  શરીરની ક્ષમતાઓ મર્યાદિત છે.  એ આત્મા જ છે કે જે તમામ ભૌતિક અવયવોનું સંચાલન કરે છે.  તેથી, આત્માને સશક્તિકરણ અને જાગૃત કરીને જ આપણે વિશ્વને સામાજિક ન્યાય આપી શકીશું.
 
      મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.ડી.રાઠીજીએ વિશેષ અતિથિની ભૂમિકામાં પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે વ્યક્તિત્વનો ઉદય જ આધ્યાત્મિક ઉદય છે.  આધ્યાત્મિક ઉદય કેવી રીતે થાય?  આંતરિક શક્તિઓને કેવી રીતે જાગૃત કરવી?  ન્યાયશાસ્ત્રીઓ પાસે એકાગ્રતાની શક્તિ છે.
 એ શક્તિના આધારે આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. મનને પરમાત્મા સાથે જોડવાથી એકાગ્રતાની શક્તિ આવે છે. જેને કહેવાય અધ્યાત્મ. ભાઈ પંકજ ઘીયાએ પોતાની વાત રાખતા આ શબ્દોમાં  શુભેચ્છાઓ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગુરુ વિના અને આધ્યાત્મિકતા વિના આપણા જીવનમાં કંઈ જ થઈ શકે નહીં.
 
      કર્ણાટક હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ પચ્ચપુરેજીએ પોતાના વિચારો રજુ કરતાં કહ્યું કે આપણે બધાએ હંમેશા શાંત રહેવું જોઈએ તો જ આપણે ન્યાયશાસ્ત્રીઓ ન્યાય કરી શકીશું.  જો ગુસ્સો કે અશાંતિ આપણી માનસિકતામાં પ્રવેશે છે તો ન્યાય થશે નહીં. આ સંસ્થામાં જોડાયા પછી, મેં મારી ૩૦ વર્ષની કોર્ટ સેવામાં કરેલી કામગીરીથી હું સંતુષ્ટ છું.
 
       ભાઈ સંદીપ અગ્રવાલે આભાર વ્યકત કર્યો હતો.
 
      બ્રહ્માકુમારીઝના મધુર વાણી ગ્રુપે સુંદર ગીત સાથે સૌનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
 
      જ્યારે એક નાની બાળા દ્વારા ખૂબ જ સુંદર નૃત્ય રજૂ થયેલ. 
 
       જ્યુરિસ્ટ વિંગના હેડક્વાર્ટર કન્વીનર બી.કે.શ્રદ્ધાબહેને કાર્યક્રમનું સંકલન કર્યું હતું.