ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 નવેમ્બર 2022 (12:50 IST)

PM મોદીના મોરબી પ્રવાસથી હોસ્પીટલમાં કલરકામ, કેબિનો ઉભી કરાઈ

જણાવીએ કે રવિવારની સાંજે ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિઝ તૂટી જવાની મોટી દુર્ઘટના થઈ હતી. ઘટનામાં 130થી વધારે લોકોની મોત થઈ ગઈ છે. દુર્ઘટના પછી પીએમ મોદીએ તરત જ ગુજરાતના સીએમથી વાત કરી જાણકારી લીધી હતી અને રાહત-બચાવ કાર્યના વિશે નિર્દેશ આપવામાં આવ્યા હતા..અ આટલુ જ નહી સોમવારે પીએમ મોદી ગુજરાતના બનાસકાંઠાની જનસભામાં મોરબી દુર્ઘટનાની વાત કરતા ભાવુક પણ  થઈ ગયા. પછી મોડી સાંજે તેણે એક હાઈ લેવલ મીટીંગ કરી અને રાહત અને બચાવ કાર્યની જાણકારી લઈ દિશા-નિદેશ આપ્યા. હવે સૂચના છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરબી હોસ્પીટલ પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોથી મળી રહ્યા છે. ત્યારે હોસ્પીટલમાં તૈયારીઓની ફોટા પર વિપક્ષએ નિશાનો સાધ્યો છે. 
ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સ્થળે પહોચી ગયા છે. પીએમ સંભવિત પ્રવાસને લઈને પ્રશાસન પણ એક્ટિવ થઈ ગયો છે.

આ વચ્ચે કેટલીક ફોટા સામે આવી છે જે પછી વિપક્ષી દળ ખાસ કરીને કાંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારને નિશાના પર લઈ લીધુ છે. કાંગ્રેસએ આ ઈવેંટબાજી કહ્યુ છે તો આપએ ફોટોશૂટની તૈયારીઓ જણાવીને ટોણો માર્યો છે? મોરબીમાં AAP ના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા હોસ્પિટલે પહોચતા કામકાજ બંધ કરી દીધું છે.