શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (20:10 IST)

જાણો ગુજરાત સરકારે કેમ લીધો પોલીસના RR સેલને બંધ કરવાનો નિર્ણય

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે જાહેરાત કરી કે રાજ્ય પોલીસના રેપિડ રિસ્પોન્સ (આરઆર) સેલને સમાપ્ત કરી દેવામાં આવશે. 1995થી સક્રિય આરાઅર સેલના મુખ્ય કાર્ય રાજ્યમાં સંગઠિત અપરાધના કાર્ય પર નજર રાખવાની હતી. 
 
વિજય રૂપાણીએ કહ્યું કે 'અમે પોલીસ વિભાગના આરઆર સેલને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કારણ કે ટેક્નોલોજી અને ગતિશીલતાના નવા યુગમાં આ પ્રકારના સેટઅપની કોઇ જરૂર નથી. તો એક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી (એમઓએસ) પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે 'આરઆર સેલને સમાપ્ત કરવાનો નિર્ણય તાજેતરમાં ઘટના સંબંધિત નથી, જેમાં એન્ટી કરપ્શન બ્યૂરો (એસસીબી)એ આરઆર સેલના સહાયક ઉપ નિરીક્ષક (એએસઆઇ)ને 50 લાખ રૂપિયા લાંચ લેવા માટે પકડ્યા હતા.''
 
અત્રે ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર 2020ને આનંદનગરના વિદ્યાનગરમાં એક ભોજનાલયમાં લાંચ લેતાં એએસઆઇ પ્રકાશસિંહ રાવલે એસીબીને રંગહથ પકડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરઆર અસેલના ઓછા રાજ્યમાં સંદિગ્ધ અવૈધ ગતિવિધિઓ પર નજર રાખવાની હતી. આ રાજ્યના સાત રેંજ ડિવીઝનોમાં કાર્યકત્મક હતો.
 
પરંતુ સૂત્રોના અનુસાર આ સેલ પોતાના મૂળ ઉદેશ્યથી ભટકી ગયા હતા અને તેનો ઉપયોગ પોલીસકર્મીઓ વચ્ચે અને ભ્રષ્ટાચાર માટે વ્યક્તિગત લાભ માટે વધુ કરવામાં આવતો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે હવે અમે એસપીને વધુ શક્તિઓ આપીશું જેથી તે સારું પ્રદર્શન કરી શકે.