1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: હરિદ્વાર : , સોમવાર, 24 જૂન 2013 (10:26 IST)

ઉત્તરાખંડ : વરસાદ અને ખરાબ હવામાનને કારણે રાહત કાર્યમાં મુસીબત

P.R


ઉત્તરાખંડમાં સર્જાયેલી તારાજીનાં આજે આઠમાં દિવસે હવામાનમાં બગડવા લાગ્યુ છે. જેની સીધી અસર રાહત અને બચાવ કામગીરીને થઇ રહી છે. જો કે જોશીમઠમાંથી આર્મીનાં 2 ચીતા હેલીકૉપ્ટરોએ રાહત અને બચાવ કામગીરી માટે ઉડાન ભરી હતી. નોંધનીય છે કે હવામાન ખરાબ હોવાથી ઔલી એરપોર્ટ પર વિજિબિલિટી 50 થી 500 મીટર સુધીની જ છે. જ્યારે ઉડાન ભરવા માટે 1500 મીટર વિજિબિલિટીની જરૂર હોય છે.
P.R

જ્યારે બીજા હેલિકૉપ્ટર અને એમઆઇ 17 હેલીકૉપ્ટર ઉડાન ભરી નથી શકતા. આઝે સવારથી જ રૂદ્વપ્રયાગ, ગુપ્તકાશી, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં વરસાદ વરસ્યો છે. કેદારનાથમાં પણ વરસાદ વરસ્યો છે. ગંગોત્રીમાં રાહતકાર્ય શરૂ થયુ છે. બદ્રીનાથમાં 40 કિલોમીટરનાં વિસ્તારમાં સૈન્ય અભિયાન થઇ રહ્યુ છે.