સંબંધિત સમાચાર
- પપ્પા હુ ફ્લાઈટમાં બેસી ગયો - અંતિમ મેસેજ આજે પણ સંભળાય છે... અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી, પરિવારના આંસુ થમતા જ નથી
- અમદાવાદ પ્લેન ક્રેશ વળતર - ઓફર પર ભડકી વિજય રૂપાણીની પુત્રી, ટાટા સંસનાં ચેયરમેનને સંભળાવી બે ટૂંક
- અમદાવાદ ફ્લાઇટ ક્રેશની વરસી: ટાટાની નોકરી છૂટી, હેલ્પલાઇન બંધ; PMO પાસે ન્યાય માંગતા પરિવારો
- અમદાવાદ વિમાન દુર્ઘટના: 'છેલ્લા શ્વાસ સુધી પાયલોટ સુમિતે કંટ્રોલ છોડ્યો નહોતો', પ્રત્યક્ષદર્શીએ કર્યો ચોંકાવનારો દાવો
- એયર ઈંડિયા દુર્ઘટના પાયલોટે જાણી જોઈને કરી હતી ? આ દાવા પર આવ્યુ સરકારનુ નિવેદન
વિમાન દુર્ઘટનાના એક વર્ષે મેઘાણીનગર કેમ્પસ માટે રૂ. 547 કરોડના મેગા પ્રોજેક્ટની જાહેરાત, અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટનો થશે કાયાકલ્પ
Ahmedabad Plane Crash site hospital
અમદાવાદમાં 12 જૂન, 2025 ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની સ્મૃતિ વચ્ચે રાજ્ય સરકારે દુર્ઘટનાગ્રસ્ત બનેલા ન્યૂ મેન્ટલ કેમ્પસને એક આધુનિક આરોગ્ય અને શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાનો મહત્ત્વાકાંક્ષી નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે, દુર્ઘટનાના ઊંડા ઘાઓને હવે 'આરોગ્ય મંદિર' અને 'શિક્ષણ મંદિર'ના સંકલ્પમાં ફેરવીને આ સમગ્ર કેમ્પસનો નવો કાયાકલ્પ કરવામાં આવશે.
મેઘાણીનગર કેમ્પસમાં રૂ. 547 કરોડના ખર્ચે ઊભા કરાશે વિશ્વસ્તરીય પ્રોજેક્ટ્સ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ન્યૂ મેન્ટલ કેમ્પસમાં ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાને કારણે નુકસાન પામેલી તમામ જૂની ઇમારતોને સંપૂર્ણપણે તોડીને દૂર કરવામાં આવશે. તેના સ્થાને રાજ્ય સરકાર દ્વારા રૂ. 547 કરોડથી વધુના તોતિંગ બજેટ સાથે આરોગ્ય, વૈજ્ઞાનિક સંશોધન અને મેડિકલ શિક્ષણ ક્ષેત્રના અત્યાધુનિક પ્રોજેક્ટ્સ ઊભા કરવામાં આવશે. સરકાર આ આપત્તિગ્રસ્ત વિસ્તારને એક નવી અને વિશ્વસ્તરીય ઓળખ આપવા માટે મક્કમ છે.
દિવંગતોને શ્રદ્ધાંજલિ અને સરકાર દ્વારા કરાયેલી તાત્કાલિક મદદ
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત મુસાફરો અને સ્થાનિક નાગરિકોને આ પ્રસંગે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે યાદ અપાવ્યું હતું કે, ગયા વર્ષે જ્યારે આ ભયાનક આપત્તિ આવી ત્યારે સરકારે ત્વરિત પગલાં ભરીને અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક રહેઠાણ, તબીબી સારવાર અને ભોજનની પૂરતી વ્યવસ્થા કરી હતી, અને હવે આ સ્થળને જનહિતના કાર્યો માટે સમર્પિત કરવામાં આવી રહ્યું છે.
રૂ. 295 કરોડના ખર્ચે હાઇટેક હોસ્પિટલ અને હોસ્ટેલનું નિર્માણ
આ મહાપ્રોજેક્ટના ભાગરૂપે કેમ્પસમાં કમરથી નીચેના ભાગના લકવાગ્રસ્ત દર્દીઓ માટે એક અત્યાધુનિક પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર (પુનર્વસન કેન્દ્ર) તથા એક ફિઝિયોથેરાપી કોલેજ બનાવવામાં આવશે. આ સાથે જ ત્યાં અભ્યાસ કરતા 500 વિદ્યાર્થીઓ માટે અધ્યતન હોસ્ટેલનું નિર્માણ પણ કરાશે. આ ખાસ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 295 કરોડનો ખર્ચ થશે અને તેના માટે 25 હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જમીનનો ઉપયોગ કરવામાં આવશે.
તબીબી સંશોધન ક્ષેત્રે ગુજરાતનું નવું સીમાચિહ્ન બનશે આ કેમ્પસ
આરોગ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ તમામ પ્રોજેક્ટ્સના ટેન્ડરિંગ અને બાંધકામની પ્રક્રિયા આગામી દિવસોમાં ઝડપથી શરૂ કરી દેવામાં આવશે. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ આ ન્યૂ મેન્ટલ કેમ્પસ માત્ર એક સામાન્ય હોસ્પિટલ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ તબીબી સંશોધન (Medical Research) અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ગુજરાતનું એક મોટું અને ગૌરવપૂર્ણ કેન્દ્ર બનશે. આ સુવિધાથી ભવિષ્યના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સામાન્ય જનતાને એક જ છત્ર નીચે આધુનિક સેવાઓ મળશે.
