શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 29 મે 2022 (12:18 IST)

અમિત શાહ પંચમહાલમાં, અમદાવાદમાં 600 કરોડના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે

amit shah
અમિત શાહ પંચમહાલમાં, અમદાવાદમાં 600 કરોડના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે
 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. આ માટે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાત પ્રવાસે છે.
 
આજે અમિત શાહની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે, જેમાં તેમણે ગોધરાની પંચામૃત ડેરી ખાતે સહકારી ક્ષેત્રની યોજનાઓનો શુભારંભ કર્યો હતો, સાથે જ ઓ ખેડામાં ગુજરાત પોલીસ માટે સુવિધાઓ ઊભી કરતી યોજનાઓનો શુભારંભ કરાવશે.
 
સાંજે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં વૈશ્વિકસ્તરના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગાંધીનગરમાં મહાત્મામંદિરમાં 'સહકારથી સમૃદ્ધિ' વિષય પર સહકારી સંસ્થાઓના આગેવાનોને સંબોધિત કર્યા હતા.
 
આ પહેલાં તેમણે IFFCOના નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
 
શું છે ગૃહમંત્રી અમિત શાહનો આજનો કાર્યક્રમ?