1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. why is 21st december the shortest day

આજે 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત્રી અને દિવસ ટૂંકો રહેશે, જાણો કેમ ?

21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત્રી અને દિવસ ટૂંકો રહેશે
આજે 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત્રી અને દિવસ ટૂંકો રહેશે, જાણો કેમ ?
 
પૃથ્વી પરના કાલ્પનિક પરા કર્કવૃત્ત અને મકરવૃત્તિ વચ્ચેની સૂર્યની ગતિને કારણે ઉત્તરાયણ અને દક્ષિણાયન સંભવે છે. તા. 21 મી ડિસેમ્બરે સૂર્યની આ ગતિને કારણે સૌથી લાંબી રાત્રી રહેશે અને દિવસ ટૂંકો રહેશે. દર છ મહિને સૂર્ય 23.5  ઉત્તર અને 23.5  અંશ દક્ષિણે પહોંચીને પરત ફરે છે. આ બંને બિંદુને કર્કવૃત્ત અને મકરવૃત્ત કહે છે. સૂર્ય જે બિંદુ પર હોય ત્યાં સૌથી લાંબો દિવસ રહે છે.
 
21મી ડિસેમ્બરે સૂર્ય 23.5 .અંશ દક્ષિણના બિંદુ પર હશે ભારત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં હોઇ સૂર્ય ભાવીથી અત્યંત દુર હશે તેને કારણે ભારતમાં સૌથી લાંબી રાત્રિ અને સૌથી ટૂંકો દિવસ રહેશે. ખગોળવેત્તા દિવ્ય દર્શન પૂરોહિતના જણાવ્યા મુજબ વડોદરામાં 13 કલાક 14  મિનિટની રાત્રિ રહેશે અને 10  કલાક 46  મિનિટનો દિવસ રહેશે.
 
કર્કવૃત્ત અને મકરવૃત્ત પરથી સૂર્યના પરત ફરવાની ક્રિયાને અયન કહે છે. અયન એટલે પ્રસ્થાન કરવું તે 21  ડિસેમ્બરે સૂર્ય ઉત્તર તરફ પ્રસ્થાન કરશે તેથી તેનું ઉત્તરાયન થશે. હકીકતમાં આ દિવસે ઉત્તરાયણ ગણાય. મહાભારતમાં ભીષ્મ પિતામહે પોતાના મૃત્યુ માટે આ દિવસ પસંદ કર્યો હતો.
 
વાંચકો નિરિક્ષણ કરી શકશે કે આગામી 14-15 જાન્યુઆરી સુધી સૂર્ય મોડો ઉગશે અને મોટા આથમશે. દિવસ ધીમે ધીમે લાંબો અને રાત્રી ટુંકી થશે. આપણા ઘરોમાં દક્ષિણ તરફથી આવતો તડકો ધીમેધીમે ઉત્તર તરફથી ચાલશે. આ સમયે સૂર્ય ધન રાશિમાં હોવાથી આ દિવસો માટે ધનારક એવો શબ્દ વપરાય છે.
 
 
ગુરુ અને શનિ ગ્રહ વચ્ચેનું વાસ્તવિક અંતર આશરે 735 મિલિયન કિ.મી જેટલું છે. પરંતુ પોતાની પરિભ્રમણ કક્ષા અને પરીભ્રમણ વેગના કારણે સૂર્ય મંડળના સૌથી મોટા બે ગ્રહ ગુરુ અને શનિ 16 થી 21 ડિસેમ્બર દરમ્યાન પોતાની ભ્રમણ કક્ષામાં એકબીજા સાથેનાં કોણીય અંતરમાં સતત ઘટાડો થવાથી 21 ડિસેમ્બરે બંને એકબીજાથી 0.1 ડીગ્રીના કોણીય અંતરે જોવા મળશે. એમ કહી શકાય કે ગુરુ ગ્રહ શનિ ગ્રહને પોતાના ખભા પર ઉચકતો જોવા મળશે.ગત 16  જુલાઈ, 1663 ના દિવસે આ પ્રકારની ઘટનાની નોંધ કરાઈ હતી. ત્યાર પછી 21 ડિસેમ્બરને સોમવારે આ બંને ગ્રહો નજીક આવ્યા હોય (ખરેખર નજીક નહિ, પરંતુ બંનેની ભ્રમણ કક્ષાના અક્ષમાં થયેલ ટૂંકા સમયનો ફેરફાર) એવી ઘટના 397  વર્ષ બાદ જોઈ શકાશે. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ દિશામાં સુર્યાસ્ત બાદ 16 થી 21  ડિસેમ્બર દરમ્યાન નરી આંખે પણ નિહાળી શકાશે.
 
 
 શુ આપ જાણો છો આવું કેમ થાય છે?
 
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે દરેક દેશમાં આવું નથી થતું. આ ફક્ત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના દેશોમાં જ થાય છે. તે જ સમયે, આ સિવાય, દક્ષિણ ગોળાર્ધના દેશોમાં વિપરીત પરિસ્થિતિ છે અને ત્યાં સૌથી લાંબો દિવસ છે. તમને જણાવી દઈએ કે પૃથ્વી તેની ધરી પર સાડા 23 ડિગ્રી નમેલી છે. આને કારણે સૂર્યનું અંતર પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ કરતાં વધુ બને છે. આમ પણ બધા ગ્રહો તેમની ભ્રમણકક્ષામાં સહેજ નમેલા છે.
 
જેના કારણે થોડા સમય માટે પૃથ્વી પર સૂર્યના કિરણોનો ફેલાવો થયો. 21 ડિસેમ્બરે સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. આ દિવસે સૂર્યના કિરણો મકર રાશિના વિષુવવૃત્ત પર લંબરૂપ હોય છે અને કેન્સરની ઉષ્ણકટિબંધને ત્રાંસી રીતે સ્પર્શે છે. આ કારણે સૂર્ય વહેલો આથમે છે અને રાત વહેલી થઈ જાય છે. એટલે કે, જ્યારે પૃથ્વી તેની ધરી પર પરિભ્રમણ કરે છે. ત્યારે એક જગ્યાએ પડતા સૂર્યના કિરણો દિવસના અંતરાલને અસર કરે છે. જેના કારણે દિવસ ટૂંકો અને લાંબો થતો જાય છે.
 
કયા કારણે ઋતુચક્ર બને છે
 
પૃથ્વીનો ઝૂકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી તરફ ગતિ કરે છે. નાના-મોટા શહેરોનાં સમયમાં સામાન્ય મિનિટનો તફાવત જોવા મળે છે. સૂર્ય તેના આકાશનાં વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશ સુધી જ જાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે. તે 23.5 અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. પૃથ્વી પર 23.5 ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત કહે છે. પૃથ્વી પરના 23.5 દક્ષિણ અક્ષાંશને મકરવૃત કહે છે. પૃથ્વીની 23.5 અંશે ઝૂકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુચક્ર બને છે. ધ્રુવ પ્રદેશો પર છ છ મહિનાના દિવસ અને રાત થાય છે. પૃથ્વીના ગોળા પર ઊંચે અક્ષાંશે બારે માસ ઠંડી અને બરફ છવાયેલો રહે છે. પૃથ્વી પોતાની કક્ષામાં 23.5 ડિગ્રી ઝૂકેલી છે. આ ઝૂકાવ જ્યારે સૂર્યથી સંપૂર્ણ દૂર હોય ત્યારે થાય છે. આ દિવસને ઉત્તરાયણ અથવા તો ખગોળની ભાષામાં કહીએ તો વિન્ટર સોલ્સ્તૈસ કહેવાય છે.
 
આગળનો લેખ
Gram Panchayat Election Result - કયા ગામમાં કોણ સરપંચ પદ માટે વિજેતા થયા જાણી લો તેમના નામ