કોરોના વાઇરસ : પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 મુસ્લિમોની ભારત સરકારને અરજ  
                                       
                  
                  				  ભારત તથા પાકિસ્તાનમાં લાગુ કરવામાં આવેલા લૉકાડઉનને લીધે ગોધરાના 26 લોકો પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા છે.
				  										
							
																							
									  
	 
	આ અંગે બીબીસીના સહયોગી દક્ષેશ શાહ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર લગ્નપ્રસંગે હાજરી આપવા માટે આ 26 લોકો બે મહિના અગાઉ પાકિસ્તાન ગયા હતા.
				  
	 
	જોકે કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને લીધે આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરવામાં આવી હતી અને વિદેશથી ભારતમાં આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	જેને લીધે ગોધારાના આ 26 લોકો કરાંચીમાં જ ફસાઈ ગયા હતા. તેઓ ભારત પરત આવવા માગે છે અને એ માટે તેમણે ભારત સરકારની મદદ પણ માગી છે.
				  																		
											
									  
	 
	તેમનું કહેવું છે કે અન્ય તમામ વ્યવસ્થા થઈ ગઈ છે પણ પાકિસ્તાનથી ભારત આવવા માટે અટારી-વાઘા સરહદ પાર કરવાની પરવાનગી મળી શકી નથી.